1066

Hepatitis

18 February, 2025

હિપેટાઇટિસ એટલે કે લિવરમાં સોજો. મોટાભાગે ઘણા પ્રકારનાં વાયરસ હોય છે જેવા કે A , B , C , D , E વગેરે. હિપેટાઇટિસ A અને E મુખ્યત્વે દુષિત ખાણી-પીણી ને કારણે થાય છે જે એક-બે અઠવાડિયા માં ઠીક થઇ શકે છે.

હિપેટાઇટિસ ના લક્ષણો

હિપેટાઇટિસ બે રીતે થાય છે

1 ) એક્યુટ : જે હાલ સપ્તાહ માં જ શરૂ થઇ છે. (લિવર માં સોજો)

2) ક્રોનિક હિપેટાઇટિસ : જેમાં છ મહિનાથી વધારે સમય લિવર માં સોજો હોય છે.

એક્યુટ હિપેટાઇટિસ માં હંમેશા હિપેટાઇટિસ A, E અને B વાયરસથી લિવર માં સંક્રમણ થી થાય છે.

તેના મુખ્ય લક્ષણ છે

  • ભૂખ ન લાગવી , થાક લાગવો , જીણો તાવ, ઉલટી થવી, પેટ માં જમણી બાજુ ઉપર નાં ભાગ માં દુખાવો થવો , પેશાબ નું તથા આંખોનો રંગ પીળો થઇ જવો વગેરે.
  • આ રોગ એક થી બે સપ્તાહ માં હંમેશા મટી જાય છે. પરંતુ 1-2% રોગીઓમાં આનાથી લિવર – ફેલિયર નામનો ખાતરનાખ રોગ થઇ શકે છે, જે જીવલેણ પણ હોઈ શકે છે. આ રોગ દરમિયાન તમારે આરામ કરવો જોઈએ તથા તેલ (ચરબી) વગરનો આહાર લેવો જોઈએ.
  • હિપેટાઇટિસ B અને C વાયરસ વધારે જોખમકારક છે કારણ કે આના દ્વારા લિવર કાયમનાં માટે ખરાબ થઇ શકે છે , જેને સિરોસીસ ઓફલિવર રોગ કહેવામાં આવે છે. જે આગળ જતા લિવર કેન્સર માં પણ રૂપાંતર થઇ શકે છે , જે જીવલેણ હોઈ શકે છે.
  • ગુજરાતમાં દર 100 લોકો માંથી એક વ્યક્તિ હિપેટાઇટિસ C વાયરસ થી અને 100 માંથી 3 વ્યક્તિ હિપેટાઇટિસ B વાયરસ થી સંક્રમિત છે.ભારત માં દર વર્ષે લાખો વ્યક્તિઓ આ રોગ થી મૃત્યુ નો શિકાર બને છે.આ વર્ષે આખી દુનિયામાં પહેલી વખત આ અવાજ ઉઠી છે કે આ દુનિયા ને સાલ 2030 સુધી માં હિપેટાઇટિસ થી મુક્ત કરી દેવો છે.
  • હિપેટાઇટિસ C વાયરસ ને નષ્ટ કરવા માટે હવે બહુજ પ્રભાવી દવાઓ ઉપલબ્ધ છે, તે સારવાર ના પછી અંદાજે 90% થી પણ વધારે રોગી વાયરસ મુક્ત કરી શકાય છે. જે તે એક બહુ જ લાંબી ઉપલબ્ધી છે. હિપેટાઇટિસ B રોગનો એક મોટો ઉપચાર માટે પ્રભાવી રસી ઉપલબ્ધ છે, જેને કદાચ નવજાત બાળક ને લગાવામાં આવે તો તેને હિપેટાઇટિસ B રોગ થી બચાવી શકાય.
  • અફસોસ ની વાત એ છે કે ભારત માં અંદાજે 90% લોકો જે હિપેટાઇટિસ B અને C થી જે સંક્રમિત છે, તેઓ ખુદ ને પણ આ વાયરસ ની જાણ નથી અને આ અજાણી રીતે લોકો આ વાયરસ ને બીજામાં ફેલાવામાં મદદ કરી રહ્યા છે.

આપણે શું કરવું જોઈએ ?

  • સમાજમાં આ વાયરસ પ્રત્યે જાગૃતિ લાવીને આ રોગોથી પીડિત સમસ્ત રોગીઓની તાપસ કરાવી જોઈએ , તેઓને એ સમજાવવા જોઈએ કે આ રોગ નો ઈલાજ સરળ અને સંભવ છે.
  • ગર્ભવતી માતાઓની ગર્ભવિલ્ય। માં તાપસ કરવી જોઈએ અને જો તે સંક્રમિત હોય તો તેની સારવાર કરાવી જોઈએ જેથી નવજાત બાળક ને હિપેટાઇટિસ B થી બચાવી શકાય છે. સમસ્ત નવજાત બાળકોને હિપેટાઇટિસ B ની રસી જલ્દી લગાવી દેવી જોઈએ.
  • સરકાર ઉપર આ જીવલેણ રોગની તાપસ તથા સારવાર ના માટે ધન ઉપલબ્ધ કરવા માટે દબાણ કરવો જોઈએ.
  • જો તમે કદી લોહી , પ્લાઝ્મા , પ્લેટલેટ વગેરે ચઢાવ્યું હોય તો તમારે તમારું હિપેટાઈસિસ B અને C રોગના માટે તાપસ કરી લેવી જોઈએ.
  • હિપેટાઇટિસ B રોગ પતિ-પત્ની માં એક બીજા માં પણ ફેલાઈ શકે છે, જેને રસીકરણ થી રોકી શકાય છે.
  • સેક્સ વર્કર્સ થી દૂર રહેવું જોઈએ.
  • નશીલી દાવાઓથી દૂર રહેવું જોઈએ.
  • હંમેશા ડીસોપોઝેબલ સોઈ/ઈન્જેકશન નો જ વપરાશ કરવો જોઈએ.અને જો તેને કદી પહેલા કમળો થયો હોય તો તમારે તમારી લોહી ની તાપસ કરાવી જોઈએ.
  • SGPT :- જો આ SGPT નો રિપોર્ટ વધારે થતો હોય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
  • સ્વયં-સેવી સંસ્થાઓને આગળ આવીને હિપેટાઇટિસ B જેવા રોગોને 2030 સુધી માં દુનિયામાંથી નાબુત કરવામાં મદદ કરવી જોઈએ.
image image
Request a Callback
Request A Call Back
Request Type
Image
Doctor
Book Appointment
Appointments
View Book Appointment
Image
Hospitals
Find Hospital
Hospitals
View Find Hospital
Chat
Image
health-checkup
Book Health Checkup
Health Checks
View Book Health Checkup
Image
phone
Call Us
Call Us
View Call Us
Image
Doctor
Book Appointment
Appointments
View Book Appointment
Image
Hospitals
Find Hospital
Hospitals
View Find Hospital
Image
health-checkup
Book Health Checkup
Health Checks
View Book Health Checkup
Image
phone
Call Us
Call Us
View Call Us